વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીએ અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ટ્રેનના ડબ્બાને ગોધરા ખાતે આગ લગાડી જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા, આ બનાવમાં વીરગતિ પામેલા કાર સેવકોને અંજલી આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોમવારે શહેરના વીર શહીદ ભગતસિંહ ચોક (ઘોઘાગેટ)ખાતે અંજલિ આપવા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક પદાઅધિકારીઓ, અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી.
શહીદ ભગતસિંહની પ્રતિમાનું સન્માન જાળવવાના કોર્પોરેશન નીરસ, રાજકીય પક્ષો પણ માટે ઉપયોગમાં માહિર .?!
ભાવનગરમાં ઘોઘાગેટ ચોકમાં વીર શહીદ ભગતસિંહની પ્રતિમા મુકવામાં આવી છે ચોકનું નામકરણ પણ તેમના નામથી કરાયું છે પરંતુ ભગતસિંહની પ્રતિમાનું યોગ્ય સન્માન નહિ જળવાતું હોવાનો ગણગણાટ નગરજનોમાં છે, કોર્પોરેશન દ્વારા ક્યારેય પ્રતિમા પરથી ધૂળ શુધ્ધા ખંખેરવામાં આવે છે કે કેમ.? તે પ્રશ્ન છે.! વધુમાં રાજકીય પક્ષો અને આગેવાનો પણ ધરણાં પ્રદર્શન વખતે ભગતસિંહના સ્ટેચ્યુનો સહારો લ્યે છે પરંતુ સ્ટેચ્યુની દરકાર લેવાના કેટલાએ રસ દાખવ્યો.? તેમ લોકો પૂછી રહ્યા છે. મહાપાલિકા તંત્ર દ્વારા શહેરમાં દરેક સ્ટેચ્યુની નિયમિત રીતે યોગ્ય સાફ સફાઈ સાથે દરકાર લેવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.