પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે હવે દેશ ત્યાં પહોંચી ગયો છે જ્યાં ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા તો અમને. આટલું જ નહીં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું તેમના આ નિવેદનથી પાકિસ્તાનમાં અરાજકતા નહીં ફેલાય, તો તેમણે કહ્યું કે અહીં તો પહેલાથી જ અરાજકતા છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સાથે જ કહ્યું છે કે તે દેશની રાજનીતિને એ પોઈન્ટ પર લઈ ગયા છે જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવશે અથવા તો અમારી.
સનાઉલ્લાહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, “ઈમરાન ખાનને મારી નાખવામાં આવશે અથવા તો અમને. કારણ કે ઈમરાન આ દેશની રાજનીતિને હવે તે પોઈન્ટ પર લઈ ગયા છે જ્યાં બન્નેમાંથી એક જ રહી શકે છે. પીટીઆઈ અથવા પીએમએલ-એન.”
તેમણે કહ્યું કે, “પીએમએલએનનું સંપૂર્ણ અસ્તિત્વ ખતરામાં છે અને અમે તેની સાથે હિસાબ બરાબર કરવા માટે તેના વિરૂદ્ધ કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. ઈમરાન ખાને રાજનીતિને દુશ્મનીમાં બદલી નાખી છે. તે હવે અમારા દુશ્મન છે અને તેમની સાથે આવો જ વહેવાર કરવામાં આવશે.” રાણા સનાઉલ્લાહને પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નજીકના વ્યક્ત માનવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમણે ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-અ-ઈંસાફથી રાજનૌતિક સર્કલમાં ભારે આક્રોશ પેદા કર્યો છે.