ભાવનગર,તા.9
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં દુઃખીશ્યામ બાપા સર્કલ (તળાજા જકાતનાકા) થી અધેવાડા થઇ મહાનગરપાલિકાની હદ સુધીના ફોર લેન PQC રોડ બનાવવાનું કામમાં વર્ક એજન્સી DLCનું આશરે ૯૫ મીટરનું કામ યોગ્ય પદ્ધતિ (મેથોડોલોજી/સ્પેસીફીકેશન)થી DLC કામ કરવામાં આવતું ન હોવાથી, દુઃખીશ્યામ બાપા સર્કલથી ટોપ-૩ તરફ જતા જમણી તરફ સ્થળ પર થયેલ અંદાજીત ૯૫ મીટરનું DLCનું કામ વર્ક એજન્સી દ્વારા સ્વખર્ચે દુર કરવામાં આવશે.
નિર્મળનગર ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુની જગ્યામાં ફાયર વિભાગના સ્ટાફ માટેના કવાટર્સનું બાંધકામ પ્રગતિમાં છે. કામની ચકાસણી અર્થે થયેલ આર.સી.સી. કામના જરૂરી ટેસ્ટીંગ વર્ક એજન્સીના ટેકનિકલ સ્ટાફની હાજરીમાં થયેલ “ટેસ્ટ” ના અમુક સેમ્પલમાં નબળી ગુણવત્તા જણાય આવેલ. આમ, થયેલ કામની વખતો વખત ચકાસણીના રીપોર્ટ અન્વયે “ટેસ્ટમાં ફેઇલ ગયેલ સ્લેબનો ભાગ તેમજ કોલમને સ્ટ્રકચરલ ઇજનેરની સુપરવિઝન તેમજ સલાહ મુજબ તોડી નાખી રી-કાસ્ટ કરવા” વર્ક એજન્સીને હુકમ કરવામાં આવ્યો છે.