સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અંગે કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે સોમવારે કેન્દ્ર સરકારને પૂછ્યું – ‘જ્યારે AQI 300 થી 400ની વચ્ચે પહોંચી ગયો, ત્યારે સ્ટેજ 3 લાગુ કરવામાં ત્રણ દિવસનો વિલંબ કેમ થયો? તમે અમને ગાઈડલાઈન્સ જણાવો.
કેન્દ્ર સરકારે કહ્યું કે હવે સ્થિતિ સ્ટેજ 4 પ્રતિબંધો લાગુ કરવાના તબક્કે પહોંચી ગઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર જણાવે કે તે તેનો અમલ કેવી રીતે કરશે. અમે અહીં સ્પષ્ટ કરી રહ્યા છીએ કે તમે અમારી મંજુરી વિના સ્ટેજ 4 પરથી નીચે આવશો નહીં. ભલે AQI 300ની અંદર આવે.
એમિક્સ ક્યૂરી સીનિયર એડવોકેટ અપરાજિતા સિંહની અપીલ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. જેમણે દિલ્હીની વર્તમાન સ્થિતિને જોતા તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. 14 નવેમ્બરના રોજ એમિકસ ક્યુરીએ કહ્યું હતું – દિલ્હી સરકારે પ્રદૂષણ માટે કંઈ કર્યું નથી, સ્થિતિ ગંભીર છે. દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર ન બને. આ પછી કોર્ટે સુનાવણી 18 નવેમ્બરે નક્કી કરી હતી. આ મામલો દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ સામે તકેદારી સંબંધિત છે. જે એમ.સી.મહેતા દ્વારા દાખલ કરવામાં આવી છે. તે NCR રાજ્યોમાં વાહનોનું પ્રદૂષણ, ઘન કચરાનું વ્યવસ્થાપન અને પરાલી સળગાવવા જેવા મુદ્દાઓને આવરી લે છે.
અહીં, દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના ચોથા તબક્કાનો અમલ કર્યો છે. તેના નિયમો સવારે 8 વાગ્યાથી લાગુ થશે.