કેન્દ્ર સરકારે સોમવારે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ લોન્ચ
કર્યું હતું. આ યોજનાનો ઉદ્દેશ ઓગસ્ટ 2025 થી જૂલાઈ 2027 દરમિયાન દેશમાં 3.5 કરોડથી વધુ
નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ
માંડવિયાએ PMVBRY ના પોર્ટલનો પરિચય કરાવતા જણાવ્યું હતું કે નોકરીદાતાઓ અને પહેલી વાર
નોકરી શોધનારા બંને લગભગ 1 લાખ કરોડ રૂપિયાની આ કેન્દ્રીય યોજનાનો લાભ મેળવી શકે છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 1 જૂલાઈ, 2025ના રોજ રોજગાર સંબંધિત આ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી
હતી. આ માટે 99,446 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને તેનો ઉદ્દેશ્ય 1 ઓગસ્ટ, 2025થી 31
જૂલાઈ, 2027 સુધી 3.5 કરોડ રોજગારની તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
PMVBRYમાં નોકરીદાતાઓને પ્રોત્સાહન આપવાની જોગવાઈ છે. નોકરીદાતાઓ માટે પ્રોત્સાહનના 3
સ્લેબ રાખવામાં આવ્યા છે. જો કર્મચારીનો પગાર દર મહિને 10,000 રૂપિયા હોય તો નોકરીદાતાઓને
1000 રૂપિયાનું પ્રોત્સાહન મળશે, જ્યારે 10,000 થી 20,000 રૂપિયા સુધીની કમાણી કરતા કર્મચારીઓ
માટે 2000 રૂપિયા એકસાથે પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે અને 30,000 રૂપિયા સુધીની કમાણી
કરતા કર્મચારીઓ માટે 3000 રૂપિયા એક સાથે પ્રોત્સાહન આપવામાં આવશે.
કર્મચારીઓને બે હપ્તામાં મળશે એક મહિનાની સેલેરી પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નોકરીદાતાઓ અને પહેલી વાર કામ કરતા કર્મચારીઓ આ પોર્ટલ પર નોંધણી
કરાવીને અથવા ‘ઉમંગ’ એપ પર પોતાનો UAN દાખલ કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ
યોજના બે ભાગમાં વહેંચાયેલી છે. તેનો પહેલો ભાગ એવા કર્મચારીઓ માટે છે જેઓ પહેલી વાર
કાર્યબળનો ભાગ છે. આમાં મહત્તમ 15,000 રૂપિયા (મૂળભૂત + DA) માસિક પગાર ધરાવતા
કર્મચારીઓને બે હપ્તામાં સરેરાશ એક મહિનાના પગાર જેટલું