ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં કચરો નાખવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી યુવક ઉપર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના કરચલીયાપરા, વાલકેટગેટ, રૂખડિયા હનુમાનજી મંદિર પાસે રહેતા રોહિતભાઈ ઉર્ફે સાયમન સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧)ના પત્નીને ઘર પાસે કચરો નાખવા બાબતે સામેના ભાગે રહેતા મનીબેન સાથે બોલાચાલી થઈ હતી, જેની દાઝ રાખી પ્રકાશભાઈ ભુપતભાઈ વાજા, મુકેશભાઈ ભુપતભાઈ વાજા, વિશાલ ભુપતભાઈ વાજા અને ભુપતભાઈ વાજાએ રોહિતભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે રોહિતભાઈએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.