ગત તા.૨૫ ડિસેમ્બરને રવિવારે ક્રિસમસના દિવસે રાત્રિના સમયે શિવાજી સર્કલ સેન્ટમેરી સ્કૂલ પાસે બાઇક હટાવવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ઘોઘારોડ પો.સ્ટે.ના એ.એસ.આઇ. દ્વારા વકીલ સાથે ગેરવર્તન કરી માર મારી પોલીસ સ્ટેશન લઇ જઇ માફીનામુ લખાવ્યા બાદ વકીલ મંડળો દ્વારા વકીલ સાથે ગેરવર્તન કરનાર ઘોઘારોડ પો.સ્ટે.ના એ.એસ.આઇ. સામે ખાતાકીય તપાસ કરી પગલા ભરવાની માંગ સાથે રેલી કાઢી એસ.પી.ને આવેદનપત્ર આપ્યું હતું બાદ તાત્કાલીક ઠરાવ કરી જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા સુધીના ઠરાવો કરવામાં આવ્યા હતાં.
ગઇકાલે સાંજ સુધી કોઇ નિર્ણય નહીં થતા વકીલ મંડળોએ આજે તમામ વકીલોની અસાધારણ સભા બોલાવી હતી જેમાં એસ.પી., એ.એસ.પી. સહિતે આવી યોગ્ય નિરાકરણની વાત કરેલ બાદ આજની વકીલોની આ બેઠકમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર અને નોટરી એડવોકેટ કિર્તીબેન દાણીધારીયા તેમજ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ અને વકીલ રાજીવભાઇ પંડ્યા સહિતની ઉપસ્થિતિમાં ભાવનગર શહેરના ત્રણેય બાર એસોસીએશનની અસાધારણ સભા મળી હતી અને તેમાં ચર્ચાઓ થઇ હતી પરંતુ એસ.પી. અને એ.એસ.પી. બહાર હોય વકીલ મંડળની બેઠકમાં આવી શક્યા ન હતા જેના કારણે કોઇ નિર્ણય લઇ શકાણો ન હતો અને હવે આવતીકાલે ફરી બેઠક મળશે.
આ અંગે ભાવનગર બાર એસોસીએશનના પ્રમુખ સંજયભાઇ ત્રિવેદીએ ‘સૌરાષ્ટ્ર આસપાસ’ સાથે ટેલિફોનીક વાતચિતમાં જણાવેલ કે અમારા ઠરાવો યથાવત રહેશે અને આજે પણ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા છે હવે સાંજે અથવા આવતીકાલે એસ.પી. અને એ.એસ.પી. સાથે બેઠક કરી આગળનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.