આ બાળકનું નામ છે આર્યવીર યાદવ. 9 વર્ષીય આર્યવીર ભારતીય જનતા પાર્ટીનાં બિહારથી સાંસદ રામકૃપાલ યાદવનાં પૌત્ર છે. આર્યવીર યાદવે શુક્રવારે PM મોદી સાથે મુલાકાત લીધી હતી. આ દરમિયાન આર્યવીરની સ્વચ્છ ભારત અભિયાનને લઈને જાગૃતિ જોઈને પ્રધાનમંત્રી પ્રસન્ન થયાં હતાં. દાદા રામકૃપાલે PMસાથે પોતાના પરિવારની મુલાકાત માટે ખાસ એક મીટિંગ યોજી હતી.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરણા લઈને તેમણે સાર્વજનિક સ્થળો પર કચરો ફેંકવાનું બંધ કર્યું છે. જેના લીધે તેની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે છે. તેમણે પીએમ મોદીની સાથે વાતચીત દરમિયાન કહ્યું કે સ્વચ્છતા તેમની દિનચર્યાનો એક અભિન્ન ભાગ બની ગયો છે. રક્ષામંત્રી રાજનાથસિંહ સિવાય આ બાળકે પોતાના દાદા રામકૃપાલ યાદવ સાથેકેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈશ્ણવની પણ મુલાકાત લીધી હતી. એક્ટર અને ભાજપ સાંસદ રવિ કિશન અને ગૌતમ ગંભીર સાથે પણ આર્યવીરે મુલાકાત કરી છે.