દેશમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ઝડપથી મોતની સંખ્યા પણ વધી રહી છે. ગયા શનિવારે કોરોના વાયરસના 1890 નવા કેસ સામે આવ્યા છે. જે છેલ્લા 210 દિવસમાં સૌથી વધારે છે. દેશમાં ફરી એક વખત વધી રહેલા કોરોના સંક્રમણના કેસમા હવે માસ્કના દિવસો પરત આવે તેવા સંકેત છે અને અનેક ભીડભાડવાળા સ્થળો પર સોશ્યલ ડીસ્ટન્સનો પણ અમલ થઈ શકે છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય જે સાપ્તાહિક સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં 14 રાજયોના 29 જીલ્લાઓમાં કોરોના સંક્રમણનો દર 10%થી ઉપર પહોંચી ગયો છે અને 59 જીલ્લાઓમાં તે 5થી10% વચ્ચે છે.
દેશમાં કોરોના વાયરસના કેસ અને તેનાથી થતા મોતની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. ગયા શનિવારે કોરોના વાયરસના 1980 નવા કેસ સામે આવ્યા છે. જે ગયા 210 દિવસમાં સૌથી વધારે છે. છેલ્લા સાત દિવસમાં કેસોની તુલના જો તેના પહેલાના 7 દિવસ સાથે કરવામાં આવે તો કોરોના વાયરસના કેસમાં 78 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે આ સમયે 19થી વધીને 29 મોત થયા છે.
અનેક જીલ્લા એવા છે કે, ટેસ્ટીંગના 40% કે વધુ કેસ આ પોઝીટીવ નોંધાયા છે અને તેથી ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ ભીડવાળા સ્થળો પર માસ્ક ફરજીયાત કરવાની ભલામણ કરી છે. કેન્દ્રના રીપોર્ટમાં જણાવ્યા મુજબ દેશના 88 જીલ્લા કોરોનાના સંક્રમણ હેઠળ આવી ગયા છે પણ 500થી વધુ જીલ્લામાં સંક્રમણ દર 5%થી ઓછો છે અને જે રીતે વધુ સંક્રમણ વાળા ક્ષેત્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી તેને રોકવો હવે જરૂરી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પુર્વ મુખ્ય સલાહકાર ડો. સૌમ્યા સ્વામીનાથના જણાવ્યા મુજબ વાયરસ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે અને તેની પાછળ વાયરસનો નવો મ્યુટેશન જવાબદાર છે જેની ઓળખ અત્યાર સુધીમાં 14થી વધુ દેશોમાં થઈ ચૂકી છે. જો કે ભારતમાં હજું કોરોનાના દર્દીઓએ હોસ્પીટલાઈઝેશનની સ્થિતિ નથી પણ કયારે તે બદલે તે કહી શકાય નહી તેથી જ તા.10-11 એપ્રિલના રોજ દેશભરમાં કોરોના સંબંધી મોક-ડ્રીલ યોજાશે. ત્રીજી લહેર બાદ પાંચ મહિનામાં પ્રથમ વખત કેસ 10 ગણા વધ્યા છે અને છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના કેસ 7.8% વધી છે. 19થી25 માર્ચમાં કોરોનાના 8781 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોના ટેસ્ટીંગ ઘટાડો થયો છે. તે વધારવાની પણ તાકીદ કરવામાં આવી છે. લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા પણ જણાવાયું છે.