અમેરીકામાં ભારતીય મુળનાં સાંસદ રો ખન્નાએ રાહુલ ગાંધીની હકાલપટ્ટીની ઘટના પર આકરી ટીપ્પણી કરતા એમ કહ્યું કે આ ઘટના ગાંધીવાદી દર્શન સાથે છેતરપીંડી તથા ભારતીય મુલ્યોની વિરૂદ્ધ છે.વિપક્ષી નેતા સામેનું આ કદમ ગાંધીવાદી વિચારધારા સાથે મહા વિશ્વાસઘાત છે.
તેઓએ ટવીટમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમ્યાનગીરી કરવી જોઈએ. લોકશાહીનાં હિતમાં નિર્ણય બદલવાની શકિત છે. અમેરીકામાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ જયોર્જ અબરમે દુ:ખદ આ કદમને ભારતીય લોકશાહીનાં ઈતિહાસનો દુ:ધ દિવસ ગણાવ્યો હતો. રાહુલને અયોગ્ય ઠેરવીને મોદી દરેક ક્ષેત્રમાં અભિવ્યકિતની આઝાદીનાં અધિકારોનો મૃત્યુઘંટ વગાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ ખતમ કરવાનાં પગલાના પ્રત્યાઘાત સંયુકત રાષ્ટ્રસંઘથી માંડીને અમેરીકા સુધીના દુનિયાભરનાં દેશોમાં પડયા છે.