ટેકનોલોજી ક્ષેત્રે વધતાં સંશોધનોનો લાભ સામાન્ય માણસથી લઈને અદાલતોને થઈ રહ્યો છે.ભારતીય અદાલતોનાં ઈતિહાસમાં કદાચ સૌ પ્રથમ નોંધાયેલા કિસ્સામાં પંજાબ અને હરીયાણા હાઈકોર્ટે એક કેસમાં હાલમાં બહુચર્ચીત એવી ચેટજીપીટીની મદદ લીધી હતી.હત્યાના એક કેસમાં જામીન અરજીની સુનાવણી દરમ્યાન અત્યાચાર અને ક્રુરતા અંગે વૈશ્વિક મંતવ્યોની સમીક્ષા માટે વડી અદાલતે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) આધારીત ચેટજીપીટી ચેટબોટની મદદ લીધી હતી.
જસ્ટીસ અનુપ ચિત્કારાએ જોકે તેમના આદેશમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ચેટજીપીટીનો સંદર્ભ અથવા આ મામલે કરાયેલુ હોઈ કોઈપણ નિરિક્ષણ કેસના ગુણદોષ અંગે મંતવ્ય રજુ કરતું નથી આ સંદર્ભ લેવાનો આશય, ક્રુરતાના કેસમાં જામીન અંગે કાયદાકીય પરિભાષામાં નિર્દિષ્ટ વ્યાપક ચિત્રને રજુ કરવા માત્રનો છે.
અદાલતનો કેવો સવાલ અને ચૈટજીપીટીનો શું જવાબ?
અદાલતનો સવાલ- પંજાબ હાઈકોર્ટે હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી પરની સુનાવણી દરમ્યાન ચૈટજીપીટીને એવો સવાલ પૂછયો હતો કે ‘હુમલાખોરોએ ક્રુરતાથી હુમલો કર્યો હતો. આ મામલો ન્યાયશાસ્ત્ર જામીન વિશે શું કહે છે?
જવાબ- ચૈટજીપીટીએ ટેકસ્ટ મારફત કહ્યું કે આવા મામલા વિશિષ્ટ સ્થિતિ તથા ક્ષેત્રના કાયદા પર નિર્ભર છે. સામાન્ય રીતે હિંસક હુમલાનો આરોપ હોય તો સમાજ માટે ખતરો ગણાય છે અને નાસી જવાનુ જોખમ હોય છે. સમાજ માટે ખતરો કે નાસી જવાનું જોખમ ન હોવાનું અદાલત માટે તો ક્રુરતાપૂર્વક હુમલો હોય તો પણ જામીન આપી શકાય. જામીન મેળવવાનો તમામને હકક હોય છે.