નાલંદામાં હિંસા ફેલાવવા બદલ 120 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતીશકુમારે એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. પ.બંગાળમાં રાજયપાલ સી.વી.આનંદબોસે રાજયમાં હિંસા છેડનાર ગુંડાઓને પુરી સખ્તાઈથી કચડી નાખવાની અને તેઓ આગ સાથે રમી રહ્યા છે તે અફસોસ થશે તેવી ચેતવણી આપી હતી. પ.બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હિંસા ને ડામી દેવા વધુ અર્ધલશ્કરીદળોની ટુકડી ઉતારવાના આદેશ આપ્યા છે.