મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી છે. પુલ દુર્ઘટના બાદ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઉચ્ચ ન્યાયાલયની ટકોર બાદ હાઈકોર્ટે આ નિર્ણય કર્યો છે.
30 ઓક્ટોબર 2022ની સાંજ મોરબી માટે કાળમુખી બની હતી. આ દિવસે મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. મોરબી દુર્ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશમાં પડ્યા હતા. આ મુદ્દે હજુ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ કરવામાં આવી છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.





