સુદાનમાં પેરામિલિટરી ફોર્સ અને સેના વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકો ફસાયા છે. ત્યારે આ યુદ્ધ દરમિયાન 72 કલાકના યુદ્ધવિરામ વચ્ચે ભારત સરકાર દ્વારા સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ સહિત ભારતીય નાગરીકોને બહાર કાઢવા ‘ઓપરેશન કાવેરી’ હાથ ધરવામાં આવ્યું છે. આ તમામ નાગરીકો આજે મોડી રાતે મુંબઇ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
લોકોને આજે મોડી રાતે મુંબઇ એરપોર્ટ ખાતે લાવવામાં આવી રહ્યા છે.ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ 38 ગુજરાતીઓને ફ્લાઇટ અને બસ દ્વારા મુંબઇથી ગુજરાત પરત લાવવામાં આવશે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હાલમાં સુદાનમાં અર્ધ લશ્કરી દળ અને સૈન્ય વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દુનિયાભરના અનેક નાગરિકો ત્યાં ફસાયા છે ત્યારે ભારત સરકાર અને દેશના વડાપ્રધાન દ્વારા દુનિયાના અનેક દેશોના નાગરિકો જ્યારે ત્યાં ફસાયા હોય ત્યારે ભારતના નાગરિકોને સૌ પ્રથમ ઇવેક્યુએશન કરવાની શરૂઆત કરવામાં આવી. જેમાં ઓપરેશન કાવેરીના માધ્યમથી અનેક ભારતીય નાગરિકોને ભારતની ધરતી પર પરત લાવવામાં આવી રહ્યા છે.




