સુપ્રીમ કોર્ટે MBBS અને આયુર્વેદ ડોક્ટરોના પગાર મુદ્દે ટિપ્પણી કરી કહ્યું કે, આયુર્વેદિક અને અન્ય વૈકલ્પિક તબીબી પ્રણાલીના ડૉક્ટરોને એલોપેથિક ડૉક્ટરો જેટલો જ પગાર અને સુવિધાઓનો હકદાર ગણી શકાય નહીં. આ ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે 2012માં ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે રાજ્ય સરકારની અપીલ સ્વીકારી લીધી છે.
હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા આયુર્વેદિક ડોકટરોને પણ સરકારી એમબીબીએસ ડોકટરો જેટલો જ પગાર અને અન્ય સુવિધાઓનો હકદાર ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ અને સંજય મિથલની ખંડપીઠે કહ્યું છે કે, અમે એવું બિલકુલ નથી કહી રહ્યા કે આયુર્વેદિક ડૉક્ટરોનું કામ ઓછું મહત્વનું છે. ખંડપીઠે કહ્યું, “તેઓ લોકોને પોતાની રીતે સારવાર પણ આપે છે, પરંતુ તેમનું કામ એમબીબીએસ ડોકટરો જેવું નથી. એમબીબીએસ ડોકટરો સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓમાં પણ નિષ્ણાત ડોકટરોની મદદ કરે છે. તેથી, બંને પ્રકારના ડોકટરો એક સમાન હોય છે. સમાન સ્તર પર મૂકી શકાતું નથી.
કોર્ટે એમ પણ કહ્યું કે એમબીબીએસ ડોકટરોને હોસ્પિટલોમાં ઓપીડીમાં સેંકડો દર્દીઓ સાથે વ્યવહાર કરવો પડે છે, જે આયુર્વેદ ડોકટરો સાથે નથી. કોર્ટે કહ્યું કે એલોપેથિક ડોકટરોએ ઇમરજન્સી ફરજ બજાવવી અને ટ્રોમા કેર પૂરી પાડવી જરૂરી છે. ઇમરજન્સી ફરજો જે એલોપેથિક ડોકટરો કરવા સક્ષમ છે તે આયુર્વેદ ડોકટરો કરી શકતા નથી.






