બેંગલુરુનું એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું હોમ ગ્રાઉન્ડ છે, પરંતુ જ્યારે પણ RCBની સામે કોલકાતા નાઈટ રાઈડર્સ હોય છે, ત્યારે આ મેદાન KKRનું જ રહે છે. વાસ્તવમાં, RCB છેલ્લા 8 વર્ષથી આ હોમ ગ્રાઉન્ડ પર KKRને હરાવી શક્યું નથી. આ દરમિયાન આ મેદાન પર કુલ પાંચ મેચ રમાઈ હતી અને તે તમામમાં KKRનો વિજય થયો હતો. બુધવારે 26 એપ્રિલ, રાત્રે પણ, KKRએ આ જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો.
KKRનો આ વિજય રથ આઈપીએલ 2016થી એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી શરૂ થયો હતો. ત્યારબાદ KKRએ RCBને 5 વિકેટે હરાવ્યું. આ પછી 2017 અને 2018માં KKRએ અહીં 6-6 વિકેટથી જીત મેળવી હતી. 2019 માં ફરીથી KKR એ RCB ને 5 વિકેટે હરાવ્યું. વર્ષ 2020 થી 2022 સુધી, કોરાનાને કારણે આ મેદાન પર મેચો થઈ શકી ન હતી. હવે IPL 2023 માં, જ્યારે KKR અને RCB આ મેદાન પર ફરી સામસામે આવ્યા, ત્યારે જીત KKR ના હાથમાં હતી.
આ વખતે પ્રથમ બેટિંગ કરીને રમત જીતી લીધી હતી
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ચાર મેચોમાં કેકેઆરએ પીછો કરતાં આરસીબીને હરાવ્યું હતું. આ મેદાન પર પીછો કરવો હંમેશા સરળ રહ્યો છે. આ વખતે જ્યારે RCBએ ટોસ જીત્યો ત્યારે એવી અપેક્ષા હતી કે આજે RCB ,KKR સામે તેમના મેદાન પર હારનો સિલસિલો તોડી નાખશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. અહીં પ્રથમ બેટિંગ કરવા છતાં KKRએ RCBને હરાવ્યું. KKRએ પહેલા 200 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને બાદમાં સમગ્ર RCB ટીમને 179 રન પર રોકી દીધી. અહીં KKRનો 21 રનથી વિજય થયો હતો.
રોય અને રાણાની વિસ્ફોટક બેટિંગ, સ્પિનરોએ પણ તબાહી મચાવી
કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી જેસન રોયે 29 બોલમાં 56 અને નીતિશ રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. રિંકુ સિંહ (18) અને ડેવિડ વિઝા (12)એ પણ છેલ્લી ઓવરમાં મોટા શોટ રમ્યા હતા. આ ઇનિંગ્સની મદદથી KKRએ 5 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. આ પછી KKRના સ્પિનરોએ તબાહી મચાવી દીધી હતી. સુયશ શર્માએ 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી અને વરુણ ચક્રવર્તીએ એક જ ઓવરમાં માત્ર 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. વરુણને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.






