મણીપુરમાં અનામત વનક્ષેત્રમાંથી ખેડુતો અને વનવાસીઓને બહાર કાઢવાની સરકારી પ્રક્રિયા સામે સર્જાયેલા અસંતોષમાં ગઈકાલે રાજયના ચુરાચાંદપુર જીલ્લામાં મુખ્યમંત્રીની મુલાકાત પુર્વે જ હજારો લોકોએ સરકાર સામે આક્રોશ દર્શાવતા ન્યુ લવકાએ એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તથા જીમને આગ લગાડીને સળગાવી દીધું હતું. મુખ્યમંત્રી એન.બિરેનસિંઘ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરવાના હતા
પણ તે પુર્વે જ હજારો લોકોના ટોળાએ તેને ભસ્મીભૂત કરી દીધુ હતું તથા મુખ્યમંત્રીના સભા સ્થળમાં પણ તોડફોડ કરીને ખુરશી-પંચને નુકસાન પહોંચાડયા બાદ કલમ ૧૪૪ના અમલની જાહેરાત કરીને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીના અન્ય કાર્યક્રમ સ્થળો પર વધારાનો સુરક્ષા બંદોબસ્ત લાદી દીધો હતો. હવે સાંજના મુખ્યમંત્રી પહોંચે છે કે કેમ તેના પર સૌની નજર છે. અહીના સમગ્ર જીલ્લા આદીવાસીઓ તથા ગ્રામ્યજનો તેમને આરક્ષીત જંગલમાંથી વિસ્થાપીત કરવા સામે વિરોધ કરી રહ્યા છે.


