હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે શનિવાર 6 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાશે. જો કે, રાજ્યોમાં હાલ તેની અસર જોવા મળશે નહીં. આ ચક્રવાત 7મી મેના રોજ એક લો પ્રેશર બની જશે અને 9 મેના રોજ મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. 10 મેના રોજ આ જ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 7 મેથી માછીમારો, નાના જહાજો, બોટ અને પ્રવાસીઓને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.



