Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

75 વર્ષમાં પ્રથમ વખત LOC પર શારદીય નવરાત્રીની પૂજા, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

aaspassdaily by aaspassdaily
2023-10-17 18:06:27
in જ્યોતિષ
Share on FacebookShare on Twitter
આજે નવરાત્રિના બીજા દિવસે એલઓસી ટટવાલ કાશ્મીરમાં નવનિર્મિત શારદા મંદિરમાં શરદ નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગલા પછી છેલ્લા 75 વર્ષોમાં પ્રથમ વખત અહીં યોજાયેલા સમારોહમાં દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

હમ્પીના સ્વામી ગોવિંદાનંદ સરસ્વતી તેમના અનુયાયીઓ સાથે, જે કર્ણાટકમાં ભગવાન હનુમાનના જન્મસ્થળ કિષ્કિંધાથી રથયાત્રા પર અહીં પહોંચ્યા હતા અને કેટલાક કાશ્મીરી પંડિત તીર્થયાત્રીઓ પણ અહીં હાજર રહ્યા હતા. સેવ શારદા સમિતિ કાશ્મીરના વડા રવિન્દર પંડિતાએ જણાવ્યું હતું કે, વિભાજન પછી પ્રથમ વખત, નિયંત્રણ રેખા પર સ્થિત શારદા મંદિરમાં નવરાત્રિ પૂજા કરવાની ફરી એકવાર ઐતિહાસિક ક્ષણ હતી. અહીં જે મંદિર અને ગુરુદ્વારા હતા તે સાલ 1947માં કબાઇલી હુમલામાં બાળી નાખવામાં આવ્યા હતા અને તે જમીન પર એક નવું મંદિર અને ગુરુદ્વારા બનાવવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન આ વર્ષે 23 માર્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

બીજી તરફ મીડિયા અહેવાલ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે પણ આની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ ખૂબ જ આધ્યાત્મિક મહત્ત્વની વાત છે કે સાલ 1947 પછી પહેલીવાર આ વર્ષે કાશ્મીરના ઐતિહાસિક શારદા મંદિરમાં નવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ વર્ષની શરૂઆતમાં ચૈત્ર નવરાત્રિ પૂજા ઊજવવામાં આવી હતી અને હવે મંદિરમાં શારદીય નવરાત્રી પૂજાના મંત્રો ગુંજી રહ્યા છે. 23 માર્ચ, 2023ના રોજ રિનોવેશન પછી મંદિરને ફરીથી ખોલવાનું મને સૌભાગ્ય મળ્યું. તે માત્ર ખીણમાં શાંતિની વાપસીનું જ પ્રતીક નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણા દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરવાનું પણ પ્રતીક છે.”

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે કોઈ પણ પ્રકારે આની પુષ્ટિ અને દાવો કરતા નથી.)

Previous Post

શું દરરોજ સનસ્ક્રીન લગાવવું જરૂરી છે? જાણો તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

Next Post

આવતીકાલે ઊજવાશે તુલા સંક્રાંતિ, જાણો તેની પૂજાની રીત, કથા અને દાનના મહત્ત્વ વિશે

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
જ્યોતિષ

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

October 31, 2023
વિરાટ કોહલીના જન્મદિવસની ઈડન ગાર્ડનમાં ખાસ તૈયારીઓ! 5 નવેમ્બરે અહીં દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો
જ્યોતિષ

કારતક માસમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજાનું ખૂબ જ છે મહત્ત્વ, આ ઉપાયો કરવાથી મળશે વિશેષ આશીર્વાદ!

October 30, 2023
Next Post
નેશનલ એવોર્ડ સમારોહમાં પહોંચ્યા સ્ટાર્સ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને આપ્યા એવોર્ડ

આવતીકાલે ઊજવાશે તુલા સંક્રાંતિ, જાણો તેની પૂજાની રીત, કથા અને દાનના મહત્ત્વ વિશે

દુનિયા ભારત તરફ આકાંક્ષાઓ ભરી દ્દષ્ટિથી જુએ છે: મોદી

દુનિયા ભારત તરફ આકાંક્ષાઓ ભરી દ્દષ્ટિથી જુએ છે: મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.