રાજસ્થાનના જયપુરથી દિલ્હી આવી રહેલી એક સ્લીપર બસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેમાં અત્યાર સુધીમાં 2 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. જ્યારે 10-12 મુસાફરો ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જયપુરથી દિલ્હી આવી રહેલી એક સ્લીપર બસ બુધવારે મોડી સાંજે ગુરુગ્રામના સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પર પહોંચી ત્યારે બસમાં એકાએક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા મુસાફરોથી ભરેલી બસમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત અને 10-12 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જોકે, બસમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી બહાર આવ્યું નથી.