યુકે સરકારે સલામત દેશોની વિસ્તૃત યાદીમાં ભારતનો સમાવેશ કરવાની યોજના રજૂ કરી છે, જે દેશમાંથી ગેરકાયદેસર રીતે પ્રવાસ કરતા ભારતીયોને પરત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. ઉપરાંત, બ્રિટનમાં આશ્રય મેળવવાની તેમની તકો નષ્ટ થઈ જશે. બુધવારે ‘હાઉસ ઓફ કોમન્સ’માં રજૂ કરાયેલા કાયદાના ડ્રાફ્ટમાં ભારત અને જ્યોર્જિયાને આ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
બ્રિટનના હોમ ઑફિસે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ દેશની ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવવા અને લોકોને પાયા વગરના સુરક્ષા દાવા કરીને સિસ્ટમનો દુરુપયોગ કરતા અટકાવવાનો છે. દેશના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને કહ્યું, ‘આપણે સુરક્ષિત દેશોના લોકોને બ્રિટનમાં ખતરનાક અને ગેરકાયદેસર પ્રવાસ કરતા અટકાવવા જોઈએ.’
સુએલા બ્રેવરમેને વધુમાં જણાવ્યું હતું કે, “આ સૂચિને વિસ્તૃત કરવાથી અમને વધુ ઝડપથી એવા લોકોને દૂર કરવામાં મદદ મળશે જેમને અહીં રહેવાનો અધિકાર નથી,” આ સ્પષ્ટ સંદેશ આપે છે કે જો તમે અહીં ગેરકાયદેસર રીતે આવો છો, તો તમે રહી શકશો નહીં. ‘આ પગલું બ્રિટીશ વડા પ્રધાન ઋષિ સુનાકના ઇંગ્લિશ ચેનલ દ્વારા જોખમી મુસાફરી કર્યા પછી દેશના કિનારા પર ગેરકાયદેસર રીતે ઉતરતા સ્થળાંતરકારોની “બોટ રોકવા” ના વચનને પૂર્ણ કરવાના પગલાંને અનુરૂપ છે. હોમ ઑફિસે જણાવ્યું હતું કે વર્ષોથી ભારતીય અને જ્યોર્જિયન બોટનું આગમન વધ્યું છે, જ્યારે આ દેશોની વ્યક્તિઓ પર સતાવણીનો કોઈ સ્પષ્ટ ખતરો નથી.