ગિરનારની પરિક્રમાનો 36 કલાકથી વધુ વહેલો આજે સવારે 4 વાગ્યે પ્રારંભ થઇ ગયો છે. લીલી પરિક્રમાના પ્રવેશદ્વાર પર રાત્રીથી પરોઢ સુધીમાં અર્ધો લાખથી વધુ ભકતો પહોંચી જતા પોલીસ વડાએ સલામતી સહિતના કારણોસર આજે સવારે 4 વાગ્યે ભકતોને વનમાં જવાની મંજૂરી આપી દેતા સવારે પોણો લાખ લોકોએ પરિક્રમા શરૂ કરી દીધી છે જેથી જંગલમાં ધર્મયાત્રાનો માહોલ સર્જાયો છે. બપોરે ભકતોનો આંકડો એક લાખે પહોંચી ગયાનું જાણવા મળ્યું હતું.
દરમ્યાન આવતીકાલે તા.23ને ગુરૂવારનીરાત્રીના 12 કલાકે વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમાને બંદુકના ભડાકા સાથે ખુલ્લી મુકવામાં આવવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં પરંપરાગત રીતે લાખો યાત્રીકો 36 કિ.મી.ની આ પાવનકારી પરિક્રમામાં ઉમટી પડશે.