TRB જવાનને છૂટા કરવાના મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં TRB જવાનો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરવાનો નિર્ણય મુલતવી રખાયો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તથા કે કૈલાશનાથન પણ આ બેઠકમાં હાજર રહયા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા હતા. જેમાં એચએએલ પૂરતો આ અંગે નિર્ણય મોકૂફ રખાયો છે.
18 નવેમ્બર, 2023 અને શનિવારના રોજ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે નિર્ણય લીધો અને આ નિર્ણય સામે હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંદોલન શરૂ થઈ ચૂક્યાં છે. આ આંદોલનને કારણે અંધાધૂંધી પણ શરૂ થઈ ગઈ છે. રાજ્ય પોલીસવડા સહાયે ગુજરાતના 9000 TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોમાંથી 6400 TRBને છૂટા કરવાની જાહેરાત કરી આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકબ્રિગેડના જવાનને રોજનો રૂ.300 પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે તેમની પાસેથી મહિનાની 5 રજા બાદ કરતાં 25 દિવસ કામ કરાવવામાં આવે છે, આથી 25 દિવસની નોકરી માટે દરેક જવાનને રૂ.7500 પગાર ચૂકવવામાં આવે છે.




