શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા ગાંધીધામ ખાતે 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જે સ્થળે હનુમાન કથા અને દિવ્ય દરબાર યોજવાનો છે તે દાદા ભગવાન ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છના ધવલ આચાર્યએજણાવ્યું હતું કે,બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાનિધ્યમાં આ હનુમાન કથાના પ્રારંભ પૂર્વે 26મી તારીખે બપોરે બે વાગ્યે રોટરી સર્કલથી કળશયાત્રા યોજવામાં આવશે તો આ સમગ્ર આયોજન દરમિયાન 26મી નવેમ્બરથી 30 નવેમ્બર સુધી નિ:શુલ્ક મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે કચ્છમાં પ્રથમ વખત હનુમાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.26મી તારીખે બપોરના 3 વાગ્યે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગાંધીધામ ખાતેના નિવાસ સ્થાન પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
26મી નવેમ્બરના પ્રથમ દિવસે 4 વાગ્યે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા હનુમાન કથાનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવશે તો પ્રથમ દિવસે 5થી 8 વાગ્યા સુધી હનુમંત કથાનો લાભ લોકો લઈ શકશે.તો 27મી તારીખે પણ બપોરે 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હનુમંત કથા યોજાશે તો 28મી નવેમ્બરના બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મહા દિવ્ય દરબાર યોજાશે તો આ જ દિવસે બપોરના 12 વાગ્યા મહા રકતદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.તો રાબેતા મુજબ બપોરના 4 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી હનુમંત કથાનું પઠન કરવામાં આવશે.