જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સંગમ જામ્યો છે. પ્રકૃતિની રૂબરૂ થવા લાખોની સંખ્યામાં ભાવિકો આવી પહોંચતા જૂનાગઢના રસ્તાઓ પર માણસો જ માણસો જોવા મળી રહ્યા છે. આજ દિન સુધીમાં તેર લાખથી વધુ ભાવિકો પરિક્રમાના રૂટ પર નોંધાયા છે. પરિક્રમાના કારણે હકડેઠઠ મેદની જોવા મળી રહી છે. 23 નવેમ્બરથી શરૂ થયેલી પરિક્રમા આજે એટલે કે 27 નવેમ્બરે પૂર્ણ થશે.