રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને મંગળવારે જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ જયપુરમાં A શ્રેણીની નાકાબંધી લાદવામાં આવી છે.રાજસ્થાન, યુપી, હરિયાણા, પંજાબ અને એમપી સહિત પાંચ રાજ્યોમાં આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
DGP ઉમેશ મિશ્રાએ કહ્યું- ઘટના બાદ રાજસ્થાન પોલીસ સક્રિય થઈ ગઈ છે. બિકાનેર સહિત બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. હરિયાણા સહિત નજીકના તમામ રાજ્યોની પોલીસ પાસેથી હત્યારાઓ વિશે પ્રતિક્રિયા લેવામાં આવી રહી છે. રાજસ્થાન પોલીસે યુપી, હરિયાણા, પંજાબ અને એમપી પોલીસ સાથે હત્યારાઓના ફોટા શેર કર્યા છે. જો કે હજુ સુધી કોઈ કડી મળી નથી.