Saturday, August 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તેલંગાણામાં ભાજપ ધારાસભ્યો નહીં લે શપથ

અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવ્યા : આકરી પ્રતિક્રિયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-09 11:40:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને તેલંગાણાની કોંગ્રેસ સરકારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે. તેમનું કામ નવા ધારાસભ્યોને શપથ અપાવવાનું અને વિધાનસભા સ્પીકરની ચૂંટણી કરાવવાનું હોય છે.
ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા બેઠકથી જીતનારા અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણાના નવા ધારાસભ્યોને શપથ અપાવશે. ઓવૈસીની નિમણૂંક પર ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી જીવતો છું, ત્યાં સુધી ઓવૈસીની સામે શપથ નહીં લઉં.
ટી રાજા સિંહે કહ્યું કે, કોંગ્રેસ સરકારે તેમના માટે આદેશ કાઢ્યો છે કે, કાલે અકબરુદ્દીન ઓવૈસીની સામે તમામ લોકો શપથ સમારોહમાં સામેલ થશે. આ રાજા સિંહ જ્યાં સુધી જીવતો છે, AIMIMની સામે શપથ નહીં લે. અકબરુદ્દીન ઓવૈસી સામે શપથ નહીં લે.
ટી રાજાએ વધુમાં કહ્યું કે, ‘2018માં પણ આ જ AIMIMના ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવીને બેસાડ્યા હતા. તે સમયે પણ નહોતા લીધા. હું કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પૂછવા માંગું છું કે, શું તમે BRSના માર્ગે ચાલવા માંગો છો.’
ટી રાજા સિંહે કહ્યું કે, સરકારી જમીનો પર તેમનો કબજો છે. તેલંગાણામાં રહીને હિંદુઓને મારવાની વાત કરે છે. શું આવા વ્યક્તિની સામે શપથ લેશો? રેવંત રેડ્ડી કહેતા હતા કે, BRS, AIMIM અને ભાજપ એક છે. હવે બતાવો કે તમારા AIMIM સાથે શું સંબંધ છે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા મેળવી છે. કોંગ્રેસે 119 બેઠકોમાંથી 64 બેઠકો જીતી છે. ત્યારે BRSએ 39, ભાજપે 8, AIMIMએ 7 અને CPIએ એક બેઠક પર જીત મેળવી છે.

Tags: bjp mla not take othtelangana
Previous Post

સુરત ડાયમંડ બુર્સ વિવાદમાં : 539 કરોડની ચુકવણીનો મામલો પહોંચ્યો કોર્ટમાં

Next Post

ચિત્તાનું રહેઠાણ કચ્છનું બન્ની ગ્રાસ લેન્ડ હવે પુનઃ વિશ્વ ફલક પર બનશે જાણીતુ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી
તાજા સમાચાર

ઈસરો દ્વારા સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની તૈયારી

August 23, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદને ધીકતો ધંધો બનાવ્યો પરિવારની આવક અબજો ડોલરમાં પહોંચી!

August 23, 2025
ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
તાજા સમાચાર

ગંગા સ્નાન કરીને આવતા આંઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

August 23, 2025
Next Post
ચિત્તાનું રહેઠાણ કચ્છનું બન્ની ગ્રાસ લેન્ડ હવે પુનઃ વિશ્વ ફલક પર બનશે જાણીતુ

ચિત્તાનું રહેઠાણ કચ્છનું બન્ની ગ્રાસ લેન્ડ હવે પુનઃ વિશ્વ ફલક પર બનશે જાણીતુ

ગોધરાથી ઝડપાયેલી મહિલા અનેક વખત ગઇ હતી પાકિસ્તાન

ગોધરાથી ઝડપાયેલી મહિલા અનેક વખત ગઇ હતી પાકિસ્તાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.