Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં શાહરૂખ, અક્ષય અને અજયને નોટિસ

કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-11 11:31:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હાઇ કોર્ટની લખનઊ બેન્ચે ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને નોટિસ ફટકારી છે. હાઇ કોર્ટે કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર, સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તિરસ્કારની નોટિસ જારી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોર્ટને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. તેના પર કોર્ટે આગામી સુનાવણી માટે ૯ મે, ૨૦૨૪ નક્કી કરી છે અને આગળની કાર્યવાહીની વિગતો માંગી છે. સ્થાનિક એડવોકેટ મોતીલાલ યાદવની તિરસ્કારની અરજી પર ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે આ આદેશ આપ્યો હતો.
અરજદારનું કહેવું છે કે તેની પીઆઈએલ પર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બે સભ્યોની ડિવિઝન બેન્ચે આદેશ આપ્યો હતો કે જો અરજદાર કલાકારો દ્વારા ગુટખા કંપનીઓના પ્રમોશનના કેસમાં રજૂઆત કરે છે, તો તેના પર વિચાર કરવામાં આવે અને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવે. અરજદારે દલીલ કરી હતી કે આ આદેશના પાલનમાં, તેણે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ જ એક રજૂઆત મોકલીને કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આના પર કોર્ટે ૨૪ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ કેબિનેટ સેક્રેટરી, ચીફ કમિશનર- ક્ધઝ્યુમર પ્રોટેક્શનને તિરસ્કારની નોટિસ જારી કરી હતી.
સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકાર વતી ડેપ્યુટી સોલિસિટર જનરલે ૧૬ ઓક્ટોબરની નોટિસની નકલ રજૂ કરી હતી અને કહ્યું હતું કે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગનને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે અભિનેતા અમિતાભ બચ્ચને કોન્ટ્રાક્ટની સમાપ્તિ છતાં તેમને જાહેરાતમાં દર્શાવવા બદલ સંબંધિત પાન મસાલા બ્રાન્ડને કાનૂની નોટિસ મોકલી છે.

Tags: ajay devganaxaygutkha pramoshan noticeindishahrukh
Previous Post

આજે મોદી લોન્ચ કરશે ‘Viksit Bharat @2047: યુવાનોનો અવાજ’

Next Post

છત્તીસગઢના નવા સીએમ વિષ્ણુદેવના માથે છે ૬૬ લાખની લોન

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
છત્તીસગઢના નવા સીએમ વિષ્ણુદેવના માથે છે ૬૬ લાખની લોન

છત્તીસગઢના નવા સીએમ વિષ્ણુદેવના માથે છે ૬૬ લાખની લોન

દેવાના ડુંગરમાં ફસાયું રાજસ્થાન

દેવાના ડુંગરમાં ફસાયું રાજસ્થાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.