ઢસા સ્વામીનારાયણ ગુરૂકુળના સાધુને ગઈકાલે સાંજે ગંભીર ઈજાઓ સાથે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમને આઈસીયુ વિભાગમાં તબિબોની ટીમ દ્વારા સારવાર અપાઈ રહી છે. સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ આ સાધુ કોઈ જગ્યાએથી પડી જતા તેમને ગંભીર ઈજાઓ થયાનું કારણ બતાવાયું છે. હાલાકી સ્થાનિક લોકોમાં ચર્ચા મુજબ આ સાધુને ગઈકાલે બપોરના સુમારે કેટલાક શખ્સોએ કોઈ ચોક્કસ કારણોસર મારમાર્યો છે. જા કે આ બનાવમાં આજે શનિવારે બપોર સુધી કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી નથી.
ચકચારી બનાવ અંગે સુત્રોથી પ્રાપ્ત વિગત મુજબ ઢસામાં આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળના એક કુખ્યાત સાધુને કેટલાક શખ્સોએ ગઈકાલે શુક્રવારે ફટકાર્યા હતા. આ સાધુ અગાઉ ચલણી જાલીનોટ છાપવામાં સંડોવાયેલા હતા અને તેઓ જેલમાં પણ જઈ આવ્યા છે. ગઈકાલે કેટલાક શખ્સોએ આ સાધુને ગુરૂકુળમાં જ ફટકાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જા કે આ બનાવ અંગે સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલકો કશુ બોલવા તૈયાર નથી. દરમિયાનમાં ઈજાગ્રસ્ત સ્વામીનારાયણ સાધુને ભાવનગરની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને આઈસીયુ વિભાગમાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. સંબંધીત બનાવ અંગે પોલીસમાં કોઈ જાણકારી અપાઈ નહી હોવાનું ઢસા પોલીસ તથા ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનના પરથી જાણવા મળ્યુ છે.