દેશમાં ફરી એકવખત કોરોનાના નવા વેરિયન્ટ માથું ઊંચકી રહ્યાં છે, ત્યારે કોરોના સકમણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચિતા વ્યક્ત કરી છે. કોરોના વધતા કેસોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બુધવારે દેશના તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી વિડીયો કોનફરન્સથી બેઠક કરશે અને બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તમામ રાજ્યોને એડવાઈઝરી આપશે.
આ એડવાઈઝરીમાં તમામ રાજ્યોમાં રેપીડ ટેસ્ટ શરૂ કરવા, આઇસોલેશન વોર્ડ ઉભા કરવા સહિત માસ્ક ફરજિયાત કરવા અને હોસ્પિટલમાં કોવિડ વોર્ડ ત્યાર રાખવા મામલે સૂચના આપશે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં વધી રહેલું સકમણ સમગ્ર દેશમાં ન ફેલાય તે મામલે પગલાં ભરવા તેવી સૂચના આપશે, આ ઉપરાંત દક્ષિણ ભારતમાં જોવા મળેલ નવા વેરિયન્ટ કેટલો ઘાતક છે અને તેનું જીનોમ સ્કીકવેન્સ કરવાં જેવા મામલે પણ સૂચના આપવામાં આવી શકે તેમ છે.