અમદાવાદથી વડોદરા અપટ્રેક પર કોઈ અજાણ્યા શખ્સોએ 5થી 7 કિલોના પથ્થરો મુકી દીધા હતા, સદનસીબે તેના પરથી માલવાહક ટ્રેન પસાર થઈ ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ નહોતો બન્યો. પથ્થરના ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
ગોઠાજથી નડિયાદ અપટ્રેક પર કોઈ અજાણ્યા ઈસમોએ રેલવેના પાટા પર 5 થી 7 કિલોના પથ્થરો મુકી દીધા હતા. સદ્નસીબે માલવાહક ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી અને કોઈ નિચ્છનીય બનાવ બન્યો ન હતો. ટ્રેનના પાયલોટે જણાવ્યું હતુંકે ગોઠાજ રેલવેસ્ટેશનથી બે કિલોમીટર દૂર છે. ટ્રેન નીચે આવવાથી પથ્થરો તૂટી ગયા હતા. જે પાટા નજીકજ મુકેલા છે. જેથી આ મામલે નવીનભાઈએ ઉચ્ચ કચેરીએ જાણ કરી હતી. કોઈ ઈસમે સાંજના 6-05 વાગ્યાથી 6-50 વાગ્યા દરમિયાન પથ્થરો મૂક્યા હતા. રેલવે ટ્રેક ઉપર પથ્થરો મુકી રેલવેસંપત્તિને નુકસાન થાય અને મુસાફરોને હાનિ પહોંચે તે માટે કૃત્ય કરેલ હોઈ આ મામલેફરિયાદને આધારે પોલીસે ભારતીય રેલવે અધિનિયમ 150(1)(અ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.