Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદથી અયોધ્યા સુધી ભવ્ય રથયાત્રા

8મી જાન્યુઆરીથી શ્રીરામ ચરિત્ર માનસ યાત્રાનો આરંભ: 14 શહેરોમાંથી પસાર થઈ 20મીએ રથયાત્રા અયોધ્યા પહોંચશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-20 12:19:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં બની રહેલાં ભવ્ય રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થશે. આ ન ભૂતો ન ભવિષ્યતિ ક્ષણની સમગ્ર દેશ અને દુનિયામાં વસતા તમામ રામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપમાં રામ ચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. જે આગામી 8 જાન્યુઆરીથી શરૂ થશે અને 1200 કિલોમીટરની આ શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા 14 શહેરમાંથી પસાર થઈ 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.
આ પછી અયોધ્યામાં રામલલ્લાને 51 લાખનો રથ અર્પણ કરશે. મહત્ત્વનું છે કે, શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા પાછળ 51 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પહેલાં ગુજરાતમાંથી એલ. કે. અડવાણીએ અયોધ્યા સુધીની યાત્રાનું આયોજન કર્યું હતું. શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા વિશે રામચરણ મિશ્રાના જણાવ્યા મુજબ, ” 33 વર્ષ બાદ અયોધ્યા સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાજ્યના કુલ 1,008 લોકો જોડાશે. આ યાત્રા માટે અંદાજે 50 કરોડનું દાન એકત્રિત કરવામાં આવશે.
આ યાત્રા દરમિયાન રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામ ધૂન ગાવામાં આવશે. એક રથમાં 15 લોકો બેસી શકશે. આ યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.” અમદાવાદના ન્યૂ રાણીપમાં રામ ચરિત્ર માનસ ટ્રસ્ટ દ્વારા 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો રથ તૈયાર કરાશે. આ રથની આગળ 6 ફૂટની હનુમાનજીની મૂર્તિ લગાવવામાં આવશે. તો રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા પણ મૂકવામાં આવશે. આ રથને 10થી વધુ કારીગરો તૈયાર કરી રહ્યા છે. જેનો અંદાજિત ખર્ચ 51 લાખ રૂપિયા થશે.
આ રથ તૈયાર થયા બાદ 5 જાન્યુઆરીએ ન્યૂ રાણીપ ખાતે લાવીને તેની પૂજા કરાશે. આ સાથે બીજા ચાર રથ પણ તૈયાર કરાશે. જે રાજ્યમાં વિવિધ જગ્યાએ જઈ રામ મહોત્સવ માટે આમંત્રણ આપશે. આ પછી મુખ્ય રથ અયોધ્યા પહોંચ્યા બાદ રામ મંદિરે રામ ચરિત્ર ટ્રસ્ટ દ્વારા આયોધ્યાના રામ મંદિરને રથ અર્પણ કરાશે.

રથયાત્રાનો રૂટ

8 જાન્યુઆરી: અમદાવાદથી પ્રારંભ. 9 જાન્યુઆરી: ગોધરા 10 જાન્યુઆરી: દાહોદ 11 જાન્યુઆરી: બંદાવર 12 જાન્યુઆરી: ઉજ્જૈન 13 જાન્યુઆરી: પચોર 14 જાન્યુઆરી: ગુના 15 જાન્યુઆરી: શિવપુરી 16 જાન્યુઆરી: ઝાંસી 17 જાન્યુઆરી: ઉરઈ 18 જાન્યુઆરી: કાનપુર 19 જાન્યુઆરી: લખનઉ 20 જાન્યુઆરી: અયોધ્યા 22 જાન્યુઆરી: શ્રીરામ મંદિર, અયોધ્યા છે.

Tags: ahmedabad to ayodhyaplaning for rathyatra
Previous Post

ગોઠાજ-નડિયાદ રેલવે ટ્રેક પર પથ્થરો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

Next Post

બારીમાંથી આવેલા પથ્થરથી વિદ્યાર્થિનીએ આંખ ખોઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
બારીમાંથી આવેલા પથ્થરથી વિદ્યાર્થિનીએ આંખ ખોઈ

બારીમાંથી આવેલા પથ્થરથી વિદ્યાર્થિનીએ આંખ ખોઈ

UPDATE : કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધુ

કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે : ચિરાગ પટેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.