Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વધુ એક ધારાસભ્ય કિરીટ પટેલની રાજીનામાની ચીમકી

મારી માગણી નહીં સંતોષાય તો હું રાજીનામું ધરી દઈશ

dharmendravaghela by dharmendravaghela
2023-12-21 11:33:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ખંભાત બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યાને હજી ગણતરીના કલાકો જ થયા છે. ત્યાંજ કૉંગ્રેસના વધુ એક ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનું સામે આવતા પાર્ટીની સ્થિતિ કફોડી બની છે. પાટણ બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, મેં છ મહિના પહેલા જ પાર્ટીને લેખિતમાં કહ્યું છે કે, મારી માગણી નહીં સંતોષાય તો હું પક્ષમાંથી રાજીનામું ધરી દઈશ.
કિરીટ પટેલે પાર્ટીમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાની પણ વાત કરી ખુલ્લીને પોતાની નારાજગી વ્યકત કરી હતી. કિરીટ પટેલના આ નિવેદનના કારણે હાલ તો પાટણ અને ગાંધીનગરના ઠંડા માહોલમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે આગળ જાણીએ કે, એવી કઈ બાબત છે કે, જેનાથી કિરીટ પટેલ નારાજ છે અને પક્ષ છોડવાની વાત કરી રહ્યા છે.પાટણ બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે, કૉંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામું આપે છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરુર છે. ભાજપના 156 ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારે એમને સત્તા માટે કોઈ ધારાસભ્યની જરુર નથી. પરંતુ, જે રીતે આપ અને કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય રાજીનામું આપે તો એ બંને પાર્ટી માટે ચિંતાનો વિષય છે. બંને પાર્ટીઓએ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. શા માટે પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય રાજીનામું આપે છે તેની ચર્ચા કરવી જોઈએ.
અમારી જે નારાજગી હતી. ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે જેની લેખિતમાં રજૂઆત કરી છે. એ લોકોને દૂર કરવાના બદલે હોદા આપવામાં આવ્યા, શિસ્તવિરુદ્ધ પ્રવૃતિ બદલ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. રજૂઆત કર્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તો હું માનું છું કે, આ નિર્ણય શક્તિનો અભાવ છે.

Tags: congress mla kirit pateli will resignPatan
Previous Post

એક જ દિવસમાં રૂ. ૧.૫૬ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૪૭ MoU સંપન્ન : ૭.૫૯ લાખ સંભવિત રોજગારનું સર્જન થશે

Next Post

કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાત એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાત એલર્ટ

કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાત એલર્ટ

સાવચેત રહો, ગભરાતા નહીં : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

સાવચેત રહો, ગભરાતા નહીં : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.