ભારત એક લાખ શ્રમિકો લઈ જવા માટે તાઈવાન સરકારે MOU કર્યા હોવાના અમેરિકાના રિપોર્ટને તાઈવાનના શ્રમ મંત્રી સૂ મિંગ-ચૂએ રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, અમારી સરકારની ભારતથી એક લાખ શ્રમિકોને તાઈવાન લાવવાની કોઈ યોજના નથી. આ મામલે ભારત સાથે કોઈપણ પ્રકારનો કરાર અને સમજૂતી (MOU) પર હસ્તાક્ષર થયા નથી.
સૂ મિંગ-ચૂએ 1 લાખ ભારતીય શ્રમિકો માટે તાઈવાનના દરવાજા ખોલવાની માંગનો કોઈપણ દાવો ખોટો હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ખોટો ઈરાદો ધરાવતા લોકોએ ચૂંટણી લાભ ખાંટવા તેમજ લોકોની માનસીકતા બદલવા આવો બનાવટી દાવો કર્યો છે. ઉલ્લેખનિય છે કે, સીએનએના રિપોર્ટ મુજબ કુઓમિતાંગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઉ યૂ-ઈહે એક લાખ ભારતીય શ્રમિકોને તાઈવાન લાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા હોવાનો મીડિયા રિપોર્ટનો હવાલો આપ્યો હતો. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે, એમ્પ્લૉઈ મોબિલિટી એગ્રીમેન્ટની યોજના બનાવાઈ રહી હતી. જોકે સૂ મિંગ-ચૂને આ રિપોર્ટને રદીયો આપ્યો છે. હાઉના નિવેદન બાદ સૂ મિંગ-ચૂનનું નિવેદન આવ્યું છે.
તાઈવાનની કેન્દ્રીય સમાચાર એજન્સી સીએનએએ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકા મીડિયા રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે, તાઈવાનમાં એક લાખથી વધુ ભારતીય પ્રવાસી શ્રમિકોને લાવવા ડિસેમ્બરની શરૂઆતમાં સમજુતી પર પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે.