ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરનારને હવે મધમાખીઓનો સામનો કરવો પડશે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે BSFએ આ માટે એક પ્લાન તૈયાર કર્યો છે. ભારત-બાંગ્લાદેશ સરહદના કેટલાક ભાગો પર તેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. સરહદના કાંટાળા તાર પર મધમાખી ઉછેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. જો તે સફળ થશે તો તે મોટા પાયે કરવામાં આવશે. ભારતમાં બાંગ્લાદેશથી ઘૂસણખોરી સામાન્ય છે. ઘણીવાર આવા લોકો બોર્ડર પર પકડાય છે. અહીં સરહદ પર નજર રાખવાની જવાબદારી સીમા સુરક્ષા દળની છે. અહીં તૈનાત સૈનિકો અવારનવાર માન્ય દસ્તાવેજો વિના ભારત આવતા બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરે છે. હવે BSFએ એવી તૈયારી કરી છે કે ઘૂસણખોરી ન થઈ શકે. જો કોઈ વ્યક્તિ કાંટાળો તાર ઓળંગવાનો પ્રયાસ કરશે તો મધમાખીઓ આ પ્રયાસને સફળ થવા દેશે નહીં.