કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સુચના અનુસાર, કાયદા વિભાગના માર્ગદર્શન તથા સંયુક્ત ચેરીટી કમિશનર આર.વી વ્યાસની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલ ઝુંબેશ અસરકારક અને પરીણામ લક્ષી રહેલ છે.
ભાવનગરના સંયુક્ત ચેરીટી કમિશનરની કચેરી દ્વારા તારીખ ૧૪ થી ૨૨ ડીસેમ્બર સુધી સરકારના આદેશ અનુસાર ખાસ ઝુંબેશ ચલાવી ૧૧૪ કેસોનો નિકાલ કરાયો હતો. આ ઝુંબેશ અસરકારક અને પરીણામ લક્ષી રહી હતી. રાજ્યોની ચેરીટી કમિશરની કચેરીઓ હસ્તક બિન – તકરારી કેસો, નોંધણી અને અન્ય કેસો સહિત નિકાલ કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના પ્રમાણે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં સંયુક્ત ચેરીટી કમિશનર ભાવનગર વિભાગ અંતર્ગત ભાવનગર, બોટાદ અને અમરેલી ત્રણેય કચેરીઓમાં મળી કુલ ૧૧૪ કેસોનો નિકાલ કરાયો હતો.
ભાવનગર કચેરીમાં ૬૪, બોટાદમાં – ૧૦ અને અમરેલીમાં ૪૦ કેસોનો નિકાલ થતાં ઝુંબેશ એકંદરે પરીણામ લક્ષી રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં કુલ ૧૫૦૦ કરતા વધુ કેસોનો ખાસ ઝુંબેશ દ્વારા નિકાલ થયો છે.