પ્રાકૃતિક સાંદર્યની વચ્ચે, ગૌરીશંકર તળાવના કિનારે સરસ્વતિ વિદ્યામંદિર સંકુલમાં SID સ્મોલ વન્ડર્સ પબ્લીક સ્કૂલનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરના કાળિયાબીડ વિસ્તારના નટરાજ સ્કૂલની પાછળ આવેલ રમણીય જગ્યા અને આધુનિક સુવિધાઓ સાથેના સંકુલમાં પ્રારંભ થઇ રહેલ આ પબ્લીક સ્કૂલનું ઉદ્દઘાટન શુક્રવારે યોજાયું.
શુક્રવારે સાંજે ૫ થી ૭ આયોજીત ઉદ્દઘાટન સમારોહના અધ્યક્ષસ્થાને કુંવરી સાહેબા બ્રિજેશ્વરી કુમારી, વિશેષ અતિથિ શ્રીમતી અમરજ્યોતિબા ગોહિલ, શ્રી પૂર્ણિમાબેન શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તો ટ્રસ્ટીશ્રીઓ રઘુવિરસિંહ એસ. ગોહિલ (રઘુબાપુ), ઇન્દ્રજીતસિંહ આર. ગોહિલ, હર્ષરાજસિંહ આઇ. ગોહિલ તથા મનસુખભાઇ જાગાણી તેમજ પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
ઉદ્દઘાટન સમારોહની સાથે બાળકો અને વાલીઓનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે શહેરના શિક્ષણવિદો, ડોક્ટર્સ, અગ્રણીઓ તથા સ્મોલ વન્ડર્સ અને સરસ્વતિ વિદ્યાસંકુલના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનોને સંસ્થાના હર્ષા રામૈયા અને મનસુખભાઇ જાગાણીએ આવકાર્યાં હતા. હર્ષા રામૈયાએ આ પ્રસંગે આ પબ્લીક સ્કૂલનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, વેલ્યુ એજ્યુકેશન, લર્ન વિથ ફન સહિતના ઉદ્દેશ્ય સાથે શરૂ થઇ રહેલી આ SID સ્મોલ વન્ડર્સ પબ્લીક સ્કૂલ માત્ર શિક્ષણ નહીં પરંતુ કેળવણી તરફ ધ્યાન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાઇ છે. સંસ્થા દ્વારા ક્રમશઃ ધો.૧ થી શરૂ કરી આગળના અભ્યાસક્રમો પણ શરૂ કરાશે.