ભાવનગરમાં વિકાસ કાર્યોમાં રેલવે તંત્ર નકારાત્મક વલણ સાથે બાધારૂપ બની રહ્યું છે. નગરજનોને વર્ષોથી ચાલવાનો હક્ક ભોગવતા રસ્તાઓ બંધ કરી રેલવે તંત્રએ વિવાદ નોતર્યો છે તેમજ તાજેતરમાં મ્યુ. અધિકારી અને કર્મચારીઓ સાથે રેલવે પોલીસને ભીડવી રેલવે તંત્રએ પોતાનો મિજાજ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. જા કે, આ સામે મ્યુ. કમિશનરે પણ મિજાજ દેખાડી રેલવે કોલોનીના પાણીના કનેકશન અને રસ્તા બંધ કરતા રેલ સત્તાવાળાની શાન આખરે ઠેકાણે આવી હતી. આ ઉપરાંત રેલવેના રસ્તામાંથી વાહનો ચાલવા દેવા, ટેક્સની વસુલાત સહિતની બાબતો અંગે લાંબા સમયથી બંને તંત્ર વચ્ચે મનદુઃખ અને વિવાદ ચાલી રહ્યો છે. આખરે કલેક્ટરની મધ્યÂસ્થ બાદ રેલવેના ડીઆરએમ મ્યુ. કચેરી ખાતે મેયરની અધ્યક્ષતામાં કલેક્ટર અને કમિશનર સાથે બેઠક કરવા પહોંચ્યા હતાં. આ બેઠકમાં વિચાર-વિમર્શ અને ચર્ચાઓ બાદ વિવાદોનો હલ નિકળશે તેવો આશાવાદ છે.