લાલ સાગરમાં ટકરાવની અસર ભારત પર સીધી પડવા લાગી છે. કતારે લાલ સાગરમાં હૂતી આતંકવાદીઓ વિરૂદ્ધ અમેરિકન નેતૃત્વના હુમલાને કારણે ગેસ સપ્લાય રોકી દીધી છે. કતારની ઉર્જા કંપનીએ કહ્યું કે તે લાલ સાગરના માધ્યમથી એલએનજીના નિકાસને રોકી રહ્યાં છે, જેનાથી પુરી દુનિયામાં પ્રાકૃતિક ગેસની કમી થવાનો ડર લાગી રહ્યો છે.
ભારત સૌથી વધુ પ્રાકૃતિક ગેસ કતારથી આયાત કરે છે. સ્ટેટિકા 2023ના રિપોર્ટ અનુસાર, ભારત પોતાની કુલ પ્રાકૃતિક ગેસ આયાતના 42 ટકા ભાગ કતાર પાસેથી મંગાવે છે. એક સીનિયર સૂત્રએ કહ્યું કે કેટલાક અન્ય કંપનીઓની જેમ દુનિયાના બીજા સૌથી મોટા એલએેનજી નિકાસ કતાર એનર્જીએ પણ હવે લાલ સાગરમાં ઓછામાં ઓછા ચાર એલએનજી ટેન્કરને રોકી લીધા છે. જોકે, કતાર એનર્જીએ એમ પણ કહ્યું કે એલએનજીનું ઉત્પાદન ચાલુ છે. કતાર એનર્જીએ પોતાના તમામ ટેન્કરોને લાલ સાગરથી યાત્રા ના કરવાની સલાહ આપી છે. કંપનીએ કહ્યુ કે જો ટેન્કર લાલ સાગરમાંથી પસાર થવાના છે તો ત્યા જ રોકાઇ જાય અને સુરક્ષા સલાહની રાહ જુવે.
લાલ સાગરની જગ્યા આફ્રિકાની પરિક્રમાની તૈયારી
એલએસઇજી શિપટ્રેકિંગ ડેટાથી ખબર પડી છે કે કતારના અલ ઘરિયા, અલ હુવૈલા અને અલ નુમાન જહાજોને રાસ લાફાનમાં એલએનજી લોડ કર્યું હતું અને 14 જાન્યુઆરીએ ઓમાનમાં રોકાયા પહેલા સ્વેજ નહેર તરફ જઇ રહ્યા હતા. અલ રેકાયત, જે કતાર પરત આવી રહ્યા હતા, તે પણ 13 જાન્યુઆરીએ લાલ સાગરને પોતાના રસ્તામાં રોકવામાં આવ્યું છે.