Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યની 19 યુનિવર્સિટી ડિફોલ્ટર

UGCએ લોકપાલ નિયુક્ત નહીં કરનાર ડિફોલ્ટર યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી

dharmendravaghela by dharmendravaghela
2024-01-19 12:10:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની ફરિયાદોના નિરાકરણ માટે લોકપાલની રચના કરવી જરૂરી છે, પરંતુ વારંવાર સૂચના આપવા છતાં દેશની અનેક યુનિવર્સિટી યુજીસીની સૂચનાની અવગણના કરી રહી હતી જેની સામે UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) એ કડક કાર્યવાહી કરી છે. ગુરુવારે યુજીસીએ લોકપાલની નિયુક્તિ નહીં કરનાર દેશની 256 યુનિવર્સિટીને ડિફોલ્ટરની યાદીમાં મૂકી છે અને તે યાદી પણ જાહેર કરી દીધી છે. દેશની 256 યુનિવર્સિટીમાં ગુજરાતની 19 સ્ટેટ અને ખાનગી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટીમાં લોકપાલની પોસ્ટ કોઈપણ નિવૃત્ત વાઇસ ચાન્સેલર અથવા 10 વર્ષનો અનુભવ ધરાવતો નિવૃત્ત પ્રોફેસર અથવા ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ હોવો જોઈએ. લોકપાલની રચના કરવાનો હેતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવાનો હતો.
UGCએ કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ ફરિયાદ નિવારણ સમિતિઓ પાસેથી રાહત મેળવવામાં નિષ્ફળ જાય તો ન્યાય માટે લોકપાલનો સંપર્ક કરી શકે છે. દેશની 1,091 યુનિવર્સિટીમાંથી માત્ર 297 યુનિવર્સિટીમાં લોકપાલની નિમણૂક કરવામાં આવી છે, જે કુલ યુનિવર્સિટીના માત્ર 27.2% છે. તેનો અર્થ એ કે 72.8% યુનિવર્સિટીઓએ UGC માર્ગદર્શિકાના અમલમાં અવગણના કરી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એપ્રિલ 2023માં દેશની તમામ યુનિવર્સિટીઓને લોકપાલની નિમણૂક કરવા કહ્યું હતું. આ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિમણૂક ન થયા બાદ પણ રિમાઇન્ડર આપવા અને લોકપાલની રચના કરવા વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓએ નિયમોનું પાલન કર્યું ન હતું. ત્યારબાદ શૈક્ષણિક સંસ્થાઓને 31 ડિસેમ્બર, 2023 અથવા તે પહેલાં લોકપાલની નિમણૂક કરવા સમય આપ્યો હતો. તેમ છતાં નહીં કરતા લોકપાલની નિયુક્તિ નહીં કરનાર યુનિવર્સિટીને ડિફોલ્ટરની યાદીમાં સામેલ કરી છે. સતત પાલન ન કરવાના કિસ્સામાં, યુજીસી રેગ્યુલેશન્સ અનુસાર શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે.

Tags: 19 university defoltergujaratugc
Previous Post

વડોદરા: હૈયાફાટ રૂદન અને આખી રાત સાયરની ગુંજ

Next Post

રામ મંદિરની હજારો ફૂટ નીચે દબાવાશે ટાઇમ કેપ્સ્યુલ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રામ મંદિરની હજારો ફૂટ નીચે દબાવાશે ટાઇમ કેપ્સ્યુલ

રામ મંદિરની હજારો ફૂટ નીચે દબાવાશે ટાઇમ કેપ્સ્યુલ

દિલ્હીના મકાનમાં આગ લાગતા પાંચ જીવતા ભૂંજાયા : બે લોકો ઇજાગ્રસ્ત

દિલ્હીના મકાનમાં આગ લાગતા પાંચ જીવતા ભૂંજાયા : બે લોકો ઇજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.