નીતીશ કુમારે મુખ્યમંત્રી તરીકેના લીધા શપથ લીધા છે. નીતીશ કુમારે 9મી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે નીતીશ કુમારે આરજેડી સાથેનું ગઠબંધન તોડી ભાજપ સાથે સરકાર રચવાનો દાવો કર્યો હતો. નીતીશની નવી સરકારમાં બિહાર ભાજપના 2 નેતાઓ નાયબ મુખ્યમંત્રી બની રહ્યા છે જેમાં બિહાર પ્રદેશ ભાજપ પ્રમુખ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાનો સમાવેશ થયા છે.
નીતિશ કુમારની સાથે 2 નાયબ મુખ્યમંત્રી અને 6 કેબિનેટ મંત્રીઓ પણ છે. તેમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, ડૉ. પ્રેમ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર અને HAMના સંતોષ કુમાર સુમન અને અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ સામેલ છે.
બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો અંત આવી ગયો છે. નીતિશ કુમારે મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને ફરીથી NDAમાં પાછા ફરવાના સમાચારને સમર્થન આપ્યું છે. આજે રાજભવન પહોંચીને તેમણે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. તો ભાજપ સાથે મળી નવી સરકારના ગઠન માટે દાવો પણ રજુ કર્યો હતો.
બિહાર ભાજપે સમ્રાટ ચૌધરીને ધારાસભ્ય દળના નેતા અને વિજય સિંહાને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે. આ દ્વારા ભાજપે જ્ઞાતિ સમીકરણને પણ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. વિજય સિંહા ભૂમિહારથી આવે છે અને સમ્રાટ ચૌધરી કોરી સમુદાયમાંથી આવે છે. જયારે નીતિશ કુમાર કુર્મી જાતિમાંથી આવે છે. આ રીતે એનડીએ બિહારમાં કુર્મી-કોરીનું ગઠબંધન બનાવી શકશે. ભાજપે સરકારમાં બે ઓબીસી અને ઉચ્ચ જાતિના મુખ્યમંત્રી બનાવી ‘એક તીરથી અનેક નિશાન’ સાધવાનો પ્રયાસ કરી રહી છે. આ રીતે ભાજપ જ્ઞાતિ સમીકરણ ઉકેલવામાં સફળ રહેશે.