ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અજહરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી.જૂનાગઢ જીલ્લાની અદાલતે એક મામલામાં જમાનત આપી દીધી છે પરંતું હજુ તેમનો છોડવામાં આવ્યા નથી. મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં છે. હાલ તેઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. ત્રણ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા પહેલા અરવલ્લી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે.
મૌલાના વિરૂદ્ધ 24 ડિસેમ્બર 2023 નાં રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટકાની સાથે જ અરવલ્લી પોલીસ મૌલાનીની ધરપકડ કરશે. એક તરફ મૌલાના મુફ્તી સલમાન અજહરીની ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ મૌલાનાના ટ્રસ્ટ અને તેઓનાં ફંડિગની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલાની તપાસમાં શું સામે આવ્યું છે. તે બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતું પોલીસ આ કેસને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.