Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પડોશીએ હત્યા કરી : 63 કલાકે મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો

છેડતી પ્રકરણમાં હત્યા થઈ હોવાની પોલીસને શંકા

dharmendravaghela by dharmendravaghela
2024-03-04 11:39:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ચાંદખેડા આબુગીરી સોસાયટીમાં રહેતા જોડિયા ભાઈ પૈકી એકનું સોસાયટીમાં રહેતો એક યુવાન અપહરણ કરીને લઈ ગયો હતો. લગભગ 63 કલાક બાદ અપહત યુવાનની લાશ કડી નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. જો કે અપહરણની જાહેરાત થતા જ અપહરણકર્તા યુવાનના પરિવારના સભ્યો પણ ઘરને તાળું મારીને ભાગી જતા પોલીસ હજુ સુધી હત્યાનું કારણ જાણી શકી નથી. ચાંદખેડા રેલ્વે સ્ટેશનની પાછળ આવેલી આબુગીરી સોસાયટીમાં કૌશિક સુથાર પત્ની હેતલબહેન, જોડિયા દીકરા મોહિત અને મિલન અને માતા – પિતા સાથે રહેતા હતા.
29 ફેબ્રુઆરીએ રાતે 8 વાગ્યે મિલન પૂજાપાઠ કરીને ઘરની બહાર ગયો હતો. 9.30 વાગ્યા સુધી મિલન ઘરે નહીં આવતા જમવાનો સમય થઈ ગયો હોવાથી મોહિત અને કૌશિકે મિલનને શોધવા સોસાયટીમાં નીકળ્યા હતા. ત્યારે તેમને જાણવા મળ્યું હતંુ કે તેમની જ સોસાયટીમાં રહેતો મિત રબારી મિલનને ક્યાંક લઈ ગયો હતો. જેથી તેઓ મિતના ઘરે ગયા હતા અને તેના પિતા જયરામભાઈને પૂછતાં તેમણે કહ્યું હતું કે મિત પણ ઘરે નથી. જેથી કૌશિકભાઈ અને મોહિતે આખી રાત મિલનની શોધખોળ કરી હતી.
પરંતુ બીજા દિવસે સવાર સુધી તે નહીં મળતા કૌશિકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે મિત પણ ઘરે પાછો આવ્યો નહીં હોવાથી કૌશિકે મિત વિરુધ્ધ મિલનના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. એ સાથે મિતના પરિવારના સભ્યો પણ ઘરને તાળુ મારીને ભાગી ગયા હતા. 63 કલાક બાદ કડી નર્મદા કેનાલમાંથી મિલનની લાશ મળી આવી હતી. મિલનને પીઠ અને માથાના ભાગે ઈજાના નિશાન હતા. આ અંગે ચાંદખેડા પોલીસે મિલનનો મૃતદેહ લઈ આવી હતી અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસનું કહેવુ છે કે મિલનનું અપહરણ કરી લઈ ગયેલા મિત રબારી કે તેના પરિવારના સભ્યોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. જેથી મિતે શા માટે મિલનની હત્યા કરી તે જાણી શકાયુ નથી. પરંતુ સોસાયટીના સભ્યો પાસેથી પોલીસને જાણવા મળ્યું કે, મિતની બહેનને આવતા જતા મિલન હેરાન કરતો હતો. અગાઉ મિતે આ બાબતે મિલનને ઠપકો આપ્યો હતો. જેથી કદાચ તે મુદ્દે મિતે મિલનની હત્યા કરી હોવાની શંકા છે.

Tags: chandkhedamissing youth's body found in narmada cannalmurder
Previous Post

વડોદરા નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત : એક પરિવારના પાંચ સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત

Next Post

EDના સવાલોનો જવાબ આપવા તૈયાર કેજરીવાલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
EDના સવાલોનો જવાબ આપવા તૈયાર કેજરીવાલ

EDના સવાલોનો જવાબ આપવા તૈયાર કેજરીવાલ

HCના જજ ગંગોપાધ્યાય આજે પદ પરથી રાજીનામું આપશે

HCના જજ ગંગોપાધ્યાય આજે પદ પરથી રાજીનામું આપશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.