વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાન અંતર્ગત પાટીદાર મહાસંમેલન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા.
સંમેલન દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે ‘જે સનાતન ધર્મને લઈને કામ કરશે, લોકસભાની ચૂંટણીમાં તેની સાથે પાટીદાર સમાજ રહેશે’ એમ જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં યોજાયેલા પાટીદારોના મહાસંમેલનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે નિવેદન આપ્યું હતું કે, ચૂંટણી આવી છે ત્યારે કહેવાનું કે, જે કોઈ સનાતન ધર્મને લઈને કામ કરે છે, તેની સાથે પાટીદાર સમાજ છે. સનાતન ધર્મને લઈને જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે તેમને પાટીદાર સમાજ જ નહિ પણ સર્વ સમાજ જે હિન્દૂ વિચારધારા સાથે સાંકળાયેલો સર્વ સમાજ સનાતન વિરોધીઓને જડબાતોડ જવાબ આપશે.