ભારતનો પાડોશી દેશ માયાન્માર લાંબા સમયથી ગંભીર રાજકીય અશાંતિમાંથી પસાર થઇ રહ્યો છે. માયાન્મારના પશ્ચિમી વિસ્તારમાં હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 રોહિંગ્યા મુસ્લિમો માર્યા ગયાના અહેવાલો છે. યુનાઈટેડ નેશન્સના વડાએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રિપોર્ટ અનુસાર, કરવામાં આવેલા હવાઈ હુમલામાં રખાઈન રાજ્યના થડા ગામને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 25થી વધુ લોકોના મોત થયા હતા, જયારે 30 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા. થાડા મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલેથી 340 કિલોમીટર દૂર આવેલું છે. અહીંના 90 ટકા લોકો બૌદ્ધ છે. સોમવારે સવાર મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે રોકેટ મારો કરવામાં આવ્યો હતો. જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે.
હુમલાના અહેવાલો અંગે મ્યાનમારની સૈન્ય સરકારે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. હુમલાના અહેવાલો અંગે યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથ તેમણે તેમણે મ્યાનમારમાં બગડતી સામાજિક-રાજકીય સ્થિતિ અને વધતા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુટેરેસના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું કે યુએનના ચીફ તમામ પ્રકારની હિંસાની નિંદા કરે છે અને નાગરિકોની સુરક્ષા અને હિંસાનો અંત લાવવાના તેમના આહ્વાન કરે છે.