દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે એટલે કે શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. મહત્વનું છે કે, સુનાવણીના એક દિવસ પહેલા શુક્રવારે સિસોદિયાએ તિહાર જેલમાંથી એક પત્ર લખ્યો હતો. પૂર્વ દિલ્હીમાં પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને લખેલા પત્રમાં સિસોદિયાએ કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં બહાર મળશે.
મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 6 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ 2 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.