રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 190 કિમી દૂર મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વેપારી પર વિસ્ફોટ થયો હતો. પલામુ સહિત ચાર બેઠકો પર લોકસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ ઘટના બની હતી.
પલામુના પોલીસ અધિક્ષક જણાવ્યું કે “આ ઘટનામાં ત્રણ સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં છે” તેમણે કહ્યું કે, અમે બોમ્બ વિસ્ફોટની શક્યતા સહિત દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ, મોટુ મિયાંની ભંગારની દુકાન છે. ગામ લોકોએ જણાવ્યું કે મોટુ મિયાં ભંગાર તોડી રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સવારે ભંગાર ખરીદવા માટે વિસ્તારમાં ગયા હતા. બંધ ટિફિન સ્કેલ પરથી પડી જતાં વિસ્ફોટ થયો હતો.
પલામુમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મોટુ મિયાં, તેમનો બાળક, હઝરત અંસારી અને ચરકુ અંસારીના સગીર બાળકો મૃત્યુ પામ્યા હતા. ત્રણ સગીર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને વધુ સારી સારવાર માટે એમએમસીએચ મેદિનીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. અહી અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.