સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદોને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદી એ કહ્યું કે તમારે સારુ વર્તન કરવું જોઇએ. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો હેરાન છે કે એક ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન કેવી રીતે બન્યો. રાહુલ ગાંધીના વર્તનને ખોટું ગણાવતા તેમણે સાંસદોને તેમના જેવું વર્તન ન કરવા પરંતુ સારું વર્તન રાખવાની અપીલ કરી છે.
પીએમ નરેન્દ્ર મોદી સાંજે 4 વાગ્યે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. તેમના જવાબી ભાષણ દરમિયાન PM મોદી ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને આરોપોના એક પછી એક જવાબ આપશે.