બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા ચાલુ છે અને આ હિંસાના કારણે સ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ છે. બાંગ્લાદેશના ઢાકામાં અનામત વિરોધી આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં 32 લોકોના મોત થયા છે તેમજ 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
વડા પ્રધાન શેખ હસીના સતત વધી રહેલી અથડામણોને શાંત કરવા માટે અપીલ કરી રહ્યા હતા. હાલની અનામત નાબૂદ કરવાની અને સિવિલ સર્વિસ રિક્રુટમેન્ટના નિયમોમાં સુધારાની માંગ કરી રહેલા સેંકડો વિરોધીઓ પર પોલીસે પહેલા રબરની ગોળીઓ ચલાવી હતી.
ગુરુવારે બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા થઈ હતી અને આ દરમિયાન પ્રદર્શનકારીઓ એ ઢાકામાં સરકારી ટીવીના મુખ્યાલયમાં આગ લગાવી દીધી હતી અને મુખ્યાલયમાં પાર્ક કરેલા ઘણા વાહનોને પણ નષ્ટ કરી દીધા હતા. જેના કારણે રાજધાની ઢાકા આગની લપેટમાં આવી ગઈ હતી. અનિયંત્રિત સ્થિતિને જોતા મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓબંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા એટલે કે બુધવારે જ બાંગ્લાદેશના સરકારી ટીવી BTV એ વડાપ્રધાન શેખ હસીનાનો ઇન્ટરવ્યુલીધો હતો. બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ આરક્ષણ ખતમ કરવાની તેમની માંગ પર અડગ છે. શેખ હસીના સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને દેશની તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.
AFP અનુસાર, વડા પ્રધાન હસીનાએ બ્રોડકાસ્ટર પર બુધવારે રાત્રે પ્રદર્શનકારીઓની “હત્યા”ની નિંદા કરી અને વચન આપ્યું કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે, પરંતુ તેમની શાંતિની અપીલ છતાં રસ્તાઓમાં હિંસા વધુ ખરાબ થઇ. પોલીસે ફરીથી રબર બુલેટ અને ટીયર ગેસ વડે પ્રદર્શનને તોડવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના અકસ્માતના ડેટા અનુસાર, ગુરુવારે ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા, અઠવાડિયાની શરૂઆતમાં માર્યા ગયેલા સાત ઉપરાંત, જ્યારે સેંકડો ઘાયલ થયા હતા.