Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાદળો ફાટવાની ઘટનાથી ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં તારાજી : કેદારનાથમાં ૬નાં મોત, ૨૦૦ યાત્રી ફસાયા

૧૨ વર્ષ બાદ ફરી કુદરતી આફત : નદીઓ ગાંડીતુર : સેંકડો વાહનો તણાયા : અનેક ઘરો તબાહ

dharmendravaghela by dharmendravaghela
2024-08-01 12:13:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્‍યો છે. બુધવારે રાત્રે કેદારનાથ ધામની આસપાસ વાદળ ફાટવાથી વિસ્‍તારમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીના જળસ્‍તરમાં ઝડપથી વધારો થવાને કારણે આ વિસ્‍તારમાં ભારે વિનાશનો ભય છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંચોલી વિસ્‍તારમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. મળતા સમાચાર મુજબ અત્‍યાર સુધીમાં ૬ના મોત થયા છે અને સેંકડો ઘર અને વાહનો તણાય ગયા છે.
એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્‍થળે મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર કેદારનાથ ધામમાં લગભગ ૧૫૦ થી ૨૦૦ શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્‍કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને ગંભીરતાથી લેતા ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર મૂકી દીધા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૩માં કેદારનાથમાં બનેલી ભયાનક દુર્ઘટનાને જોતા પ્રશાસન આ વખતે વધુ સતર્ક છે. જો કે, કુદરતના પ્રકોપથી સંપૂર્ણપણે બચવું મુશ્‍કેલ છે.
પહાડી રાજ્‍યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભારે નુકસાન થયું છે. બંને રાજ્‍યોમાં વિવિધ સ્‍થળોએ વાદળ ફાટવાના અહેવાલ છે. ઉત્તરાખંડની સ્‍થિતિ ચિંતાજનક છે કારણ કે વાદળ ફાટવાના કારણે ઉત્તરાખંડના ટિહરી, રુદ્રપ્રયાગ અને ભીંબલીમાં ચારધામ યાત્રાના માર્ગ પર અનેક શ્રદ્ધાળુઓ ફસાઈ જવાની સંભાવના છે. મોટી સંખ્‍યામાં યાત્રાળુઓ વિવિધ સ્‍થળોએ ફસાયેલા છે. વિવિધ સ્‍થળોએ વાદળ ફાટવાના અહેવાલ બાદ સમગ્ર ઉત્તરાખંડમાં એનડીઆરએફ, એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને સ્‍થાનિક અધિકારીઓ સહિતની ઇમરજન્‍સી સેવાઓને એલર્ટ જાહેર કરવામાં આવી છે. કેદારનાથમાં ફસાયેલા ૧૫૦ થી ૨૦૦ શ્રદ્ધાળુઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામી પણ સ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે.ટિહરીના ઘંસાલીમાં ગડેરે ઓવરફ્‌લો થવાને કારણે રસ્‍તાની બાજુની એક રેસ્‍ટોરન્‍ટ અને આઠથી ૧૦ વાહનો ધોવાઈ ગયા હતા. જેમાં રેસ્‍ટોરન્‍ટ સંચાલક, તેની પત્‍ની અને પુત્રનું મોત થયું હતું.

Tags: flood pilgrimsgaurikund & sonprayag
Previous Post

જ્યાં સુધી તેનો ઉદ્દેશ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લડત ચાલુ … : નેતન્યાહુ

Next Post

શિમલામાં ત્રણ જગ્‍યાએ વાદળો ફાટયા : ૨૮ લાપતા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
શિમલામાં ત્રણ જગ્‍યાએ વાદળો ફાટયા : ૨૮ લાપતા

શિમલામાં ત્રણ જગ્‍યાએ વાદળો ફાટયા : ૨૮ લાપતા

બિલકિસ બાનુ કેસ: શું ગુનામાં દોષીને વકીલાત કરવા માટે લાઇસન્સ આપી શકાય? -સુપ્રીમ કોર્ટ

અનામત ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી : સુપ્રીમનો મોટો ચુકાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.